લખું છું આ ૧૫ મી એ .
ગુજરાતનો બહુજ માનીતો તહેવાર એટલે ઉત્તરાયણ ( હા ભાઈ ઉત્તરાયણ નહિ મકરસંક્રાંતિ ).
પણ આ દિવસ લોકોને યાદ રહેશે કારણકે સવારે ઉઠીને જોયું તો ધુમ્મસ ,સામેનું મકાન દેખાય નહિ એવું ! ક્યારેય અહી જોવા મળતું નથી .ઉપરથી ઝાકળ ,વાતાવરણ ભીનું-ભીનું ..આખી સવાર એમાં ગઈ ,છેક ૧:૩૦ પછી સુરજ નીકળ્યો ,પણ જરાક પણ પવન નહિ ...આખો દિવસ આમ પસાર થઇ ગયો ,પતંગ રસીયાઓને મૂડ ખરાબ થઇ ગયો ,બધીજ તૈયાર્રીઓ માથે પડી ...જેમતેમ દિવસ પસાર કર્યો ..પણ રાતે ,દર વરસની જેમ આખું આકાશ તુક્કલો થી છવાઈ ગયું ,આતશબાજી ,ફટાકડા એ આનંદમાં વધારો કર્યો ....
આજે પવન છે પણ લોકો અગાશી ઉપર ઓછા દેખાય છે ..


No comments:
Post a Comment