Friday, 30 March 2012

ડોક્ટર્સ ઉપર હાથ ઉપાડતા પેહલા વિચારવું ,બે વાર ..

હા ભાઈ ગુજરાત સરકાર કાયદો લાવી રહી છે ,સજા થશે .છાપામાં આવા બનાવો આવતા જ રહે છે .મોટાભાગે સરકારી કે અર્ધ સરકારી હોસ્પિટલ માં બને છે .ખાનગીમાં નહિ થતા હોય કે બહાર નહિ આવતા હોય .દર્દીના સગાઓ પોતાની લાગણીઓ ઉપર કાબુ નથી રાખી શકતા અને તેથી ગુસ્સે થાય છે અને પરિણામ સ્વરૂપ " લાફો ".! પણ આ ઈલાજ નથી .ડોક્ટર્સ ઉપર હાથ ઉપાડવો વ્યાજબી નથી અને જે થઇ ગયું હોય એનો ઉપાય પણ નથી . ડોક્ટર્સ કેવી સ્થિતિ માં કામ કરે છે એ સમજવું જોઈએ.તેમના પણ limitation હોય છે .આખરે તેઓ પણ માણસ જ હોય છે. લાફાથી ઘણા નુકશાન થાય છે .એકતો પરિસ્થિતિ કાબુ બહાર જતી રહે છે.ન થવાનું થાય છે .હડતાલ સુધી વાત પહોચી જાય છે. એક ના ભોગે બધા દર્દીઓ એ ભોગવવાનું આવે છે .માટે જયારે પણ આવો પ્રસંગ ઉભો થાય મગજ કાબુમાં  રાખી સંસ્થાને સહકાર આપવો જોઈએ.

No comments:

Post a Comment